માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
 માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રે ...

Dharampur: નાનીઢોલ ડુંગરી ગામે ધરમપુરનાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદ્દઘાટન.

               

Dharampur: નાનીઢોલ ડુંગરી ગામે ધરમપુરનાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદ્દઘાટન.

તા.07/03/2024  ના દીને ધરમપુર તાલુકાના નાનીઢોલ ડુંગરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 1,23,45,126/-(એક કરોડ ત્રેવીસ લાખ પિસ્તાળીસ હજાર 126) રૂપિયા ના ખર્ચે બનનાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદઘાટન ધારાસભ્યશ્રી અરવિંદ પટેલના હસ્તે કરવામાં આવ્યુ.

જેમાં ગામના પ્રથમ નાગરિક યોગેશ પટેલ,ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલ, વિરવલ ગામના સરપંચ શ્રી પ્રતીકભાઈ પટેલ, મરઘમાંળ ગામના સરપંચશ્રી રજનીભાઈ પટેલ,બામટી ગામના સરપંચશ્રી વિજયભાઈ પટેલ,કરજવેરી ગામના સરપંચ શ્રી વિજયભાઈ,ભાંભા ગામના સરપંચશ્રી કૌશિકભાઈ પટેલ,નાની ઢોલ ડુંગરી ગામના માજી સરપંચશ્રી જીતેનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી ગણેશભાઈ બિરારી,વિમલભાઈ પટેલ તાલૂકા પંચાયત સભ્યશ્રી સુરેખાબેન અને ડૉ.શ્રીઓ, સ્ટાફ નર્સબહેનો અને મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા.



Comments

Popular posts from this blog

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.